.
*
અનન્યા/080126/દેશ-દુનિયા
* * * ભારત સરકાર પ્રતિવર્ષ પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન) પર સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન ઉપરાંત અન્ય રાષ્ટ્રીય સન્માન – પુરસ્કાર – પદ્મ એવોર્ડઝની જાહેરાત કરે છે. આ વર્ષે ભારત રત્નનો એવોર્ડ અપાયો નથી. પરંતુ પદ્મવિભૂષણ માટે 13, પદ્મભૂષણ માટે 35 તથા પદ્મશ્રીના ખિતાબ માટે 71 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પસંદ પામ્યા છે.
પદ્મવિભૂષણ માટે નોબેલ પ્રાઈઝ વિનર ભારતીય ડો. આર. કે. પચૌરી, ટાટા ગ્રુપના રતન તાતા (ટાટા), ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ, સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર, ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ ઉપરાંત રાજધાની નવી દિલ્હીમાં મેટ્રો રેલ્વેના પ્રોજેક્ટને સફળ કરનાર ઈ. શ્રીધરનનો સમાવેશ થાય છે.
આ વર્ષના પદ્મ એવોર્ડઝમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તેમાં બ્રિટીશ અર્થશાસ્ત્રી ડો. મેઘનાદ દેસાઈ, ભારતીય- અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તથા ગુજરાતી શિક્ષણ-સાહિત્ય જગતના આદરણીય મહાનુભાવ ભોળાભાઈ પટેલનો સમાવેશ થાય છે. સર્વ મહાનુભાવોને અભિનંદન અને શુભેચ્છાઓ ! * * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* * *ભારતની સૌથી મોટી પવનઉર્જા – વિંડ એનર્જી – કંપની (વિશ્વની ચોથા નંબરની Wind energy provider company) સુઝલોન (Suzlon) ચીન (China)ના માર્કેટમાં સફળતાના પંથે છે. ચીનની અગ્રણી પાવર પ્રોજેક્ટ ડેવલપર કંપની જિંગ્નેન્ગ ગ્રુપ દ્વારા સુઝલોનને વિંડ પાવર માટે અગત્યના કોન્ટ્રાક્ટ્સ મળેલ છે. * * * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* * ભારતના આભૂષણ માર્કેટ (Jewellery business) માં ગીતાંજલિ ગ્રુપ અગ્ર હરોળમાં છે. હીરા અને સોનાના આભૂષણોના ઉત્પાદન અને રીટેઇલિંગમાં નામનાપ્રાપ્ત ગીતાંજલિ ગ્રુપે ડાયમંડ ટ્રેડિંગ કંપની (DTC) ની પ્રસિદ્ધ બ્રાંડ ‘નક્ષત્ર’ને ખરીદેલ છે.* * *
* * * વિશ્વના સુપ્રસિદ્ધ જીનેટિક વૈજ્ઞાનિક – સિંથેટિક બાયોલોજીસ્ટ – ડો. જે. ક્રેગ વેન્ટર માનવસર્જિત ડીએનએના સંશોધનમાં પ્રવૃત્ત છે.
ડો. વેન્ટર તથા સાથીઓએ સિંથેટિક ડીએનએની બનાવટમાં સફળતા મેળવી જીનેટિક વિજ્ઞાનમાં અનોખી સિદ્ધિ મેળવી છે. અગાઉ, વાઇરસના માનવસર્જિત ડીએનએની સંરચના લેબોરેટરીમાં થઈ શકી હતી, પરંતુ પ્રથમ વખત બેક્ટેરિયાના કૃત્રિમ ‘જીનેટિક કોડ’ ની સંરચના ડો. વેન્ટર અને સાથી વૈજ્ઞાનિકો કરી શક્યા છે. * * *
* * * અનન્યા/080126/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * * ** **