.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 28 )
‘કોહિનૂર’ અને ‘કૃષ્ણ’ – બંને ફિલ્મ કંપનીઓએ મુંબઈના સિનેમા જગતના – બોલિવુડના – પાયામાં ગજબનું ચણતર-કામ કર્યું.
તે સાથે સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પટ્ટણી બંધુઓ અને મુંબઈમાં શ્રી નાથ પાટણકર, ભટ્ટ અને દવે તેમજ અરદેશર ઈરાનીએ હિંદુસ્તાનના ફિલ્મ ઉદ્યોગને વિશેષ ઘાટ આપ્યો.
પાટણકર અને દ્વારકાદાસ સંપટની વાત મેં આપને કહી છે.
પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ માંડ વીસેક મૂંગી ફિલ્મો બનાવી હોવાનું કહેવાય છે. તેમાં અડધો અડધ ફિલ્મો દસ્તાવેજી ચિત્ર (ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ) પ્રકારની હતી.
“અનન્યા”ના મારા મિત્રો! આપ જાણો છો કે તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સમગ્ર હિંદુસ્તાનમાં ચેતનાનો સંચાર કરેલ. આફ્રિકાથી હિંદુસ્તાન પરત ફરી મહાત્મા ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સ્થાપેલા (પ્રથમ કોચરબ, પછી હરિજન આશ્રમ, સાબરમતી).
ગાંધી વિચારધારાને પ્રસરાવવા ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ ગાંધીજી પર ઉતારેલાં બે દસ્તાવેજી ચિત્રો નોંધનીય ગણાયાં. ગુજરાતમાં કાઠિયાવાડ-સૌરાષ્ટ્રના રાજ્યકર્તાઓ અને પ્રજાના ભાવિ વિષે ચર્ચા કરવા સમયાંતરે કાઠિયાવાડ રાજકીય પરિષદનું આયોજન થતું રહેતું.
1925ના વર્ષમાં આવી ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ભાવનગરમાં ભરાયેલી.
મહાત્મા ગાંધી તેના પ્રમુખપદે હતા. તે ત્રીજી પરિષદનું દસ્તાવેજી ચિત્ર પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ ઉતારેલું.
સૌરાષ્ટ્ર ફિલ્મ્સ દ્વારા નિર્મિત બીજું દસ્તાવેજી ચિત્ર ‘સ્વાશ્રય’ હતું જેમાં ગાંધીજીના અમદાવાદના આશ્રમજીવનની ઝલક હતી.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી==અઠ્ઠ્યાવીસમો હપ્તો ( હપ્તો 28 ) * * અનન્યા/080510/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * *
Filed under: ફિલ્મ - સિનેમા | Tagged: Ananyaa, અનન્યા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ફિલ્મ, ફિલ્મ - સિનેમા, ફિલ્મ ઇતિહાસ, બોલિવુડ-મુંબઈ, ભારતીય સિનેમા, મૂંગી ફિલ્મ, મે 2008, સિનેમાઉદ્યોગ, હરીશ દવે, Bollywood, Cinema Industry, Film History, Film-Cinema., Gujarat, Gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, May 2008, Silent movies